Doctor Baap - Parashar Pandit books and stories free download online pdf in Gujarati

ડોક્ટર બાપ-પરાશર પંડીત

ડોક્ટર બાપ-પરાશર પંડીત

વિજય શાહ

(૧)

શેષ વિસર્જન

ટીનાના પતિ ડૉ પરાશરે ફોનમાં જ કહ્યું ધવલને બ્રેન ટ્યુમર છે તેથી અહીં નાં ડોક્ટર તો ના જ કહે છે. તમારા મનની શાંતિ માટે જે કરવું હોય તે ખરુ. બાકી જેટલું આયુષ્ય છે તેટલું ભોગવી લેવાદો.

“પણ

પરાશરભાઇ તેમ હથીયાર હેઠા મુકી ના દેવાયને?” મીતાએ પોતાનો મત વ્યક્ત કર્યો ત્યારે પરાશરભાઇ બોલ્યા ” મીતા બેન હું ડોક્ટર પણ છું અને બાપ પણ.. પૈસો પણ ખરચવામાં પાછો પડું તેમ નથી. ધવલ માટે થઈ શકે તે બધું કર્યું છે. અને હજી પણ કરીશ પણ આ તો પ્રભુ નો હુકમ. ના તોડાય કે ના ઉવેખાય. ”

મીતા ક્ષણ માટે તો ધુઆં ફુઆ થઈ ગઈ. ૧૬ વરસના ધવલને પ્રભુ ભરોંસે મરવા મુકી દેવાની વાત એના ગળે ઉતરતી નહોંતી. અને ડોક્ટર પરાશરની વાત આમતો એકદમ વહેવારની હતી. તે તો માસી હતી જ્યારે ડૉ પરાશર તો બાપ. વળી તે જાણતા હતા બ્રેન કેંસર ની દવા શોધાઇ નહતી.

ટીનાએ ફોન લીધો ત્યારે મીતાનું કંઇ ન કરી શકવાનું ફ્રસ્ટ્રેશન આંસુ બની ને નીકળી રહ્યું હતું. ” આ કેવું દુઃખ! આપણા દીકરાને તલ તલ મરતો જોતા રહેવાનો અને કંઇ જ ના કરી શકાય નો અફસોસ! કરતા રહેવાનો”

ટીના કહે “મીતાબેન! મને તમને થતી વેદનાઓ સમજાય છે. એક્ષરેમાં નાનો મગનો દાણો હતો ત્યાં સુધી પરાશર આશાવંત હતા. પણ હવે તે ગાંઠ બહું મોટી થઈ ગઈ છે. કોઇ દવા કે કીમો અસર નથી કરતી. તે ગાંઠની બાજુનાં કોષો પણ બહુ ઝડપથી વધે છે.. ”

“મોટીબેન તેં તો જ્યારે તેનામાથામાં સણકા શરુ થાય તે પીડા તો જોઇ જ નથી. તેના કયા ભવનાં પાપ ફુટી નીકળ્યા હશે કે સહન ના થાય તેવી વેદનાઓ માથાનાં દુઃખાવા તરીકે થાય છે. શરું શરુંમાં તોતે ચીસો પાડતો

અને રડતો પણ તેની વેદનાથી પીડાતા અમને જોઇને તેણે મનને કાઠું કરી લીધું. અમને કહે મનેવેદના થાય ત્યારે તમે લોકો મને કે મારી વેદના ના જુઓ પણ મારા માટે પ્રભુ દ્વારે જાપ કરો. ”

જેમ સુરજ ઉપર ચઢે તેમ વેદનાઓ વધે અને તે વેદનાઓને સહ્ય બનાવવા પરાશરનાં બાપુજીએ દાદાભગવાને સમજાવેલી એક રીત

બતાવી અને તે રીત મનને મજબુત બનાવવાની સલાહ આપી.

તેમણે ધવલને કહ્યું કે તારા મનને કેળવ અને સમજાવ કે આ દર્દ જે મારા શરીરને થાય છે તેનાથી તેનો આત્મા ભિન્ન છે. અલગ છે અને તેના આત્માએ ભવાંતરમાં કોઇક એવો ગુનો કર્યો હતો તે ગુનાની સજા તરીકે

આ કેન્સર તેને વળગ્યુ છે. આ સજા વેઠીને તારા આત્માને ગુના મુક્ત કરવા પ્રભુ પિતા સક્રિય બન્યા છે. તું આ ભવે આ સજા વેઠી લઈશ તો આવતા ભવે આ કર્મ ખપી જશે. તે ગુનાની સજા રડતા રડતા ભોગવીશ તો કર્મ બેવડાશે.. હસતા હસતા વેઠીશ તો ખપી જશે. આ તો પ્રભુ નો હુકમ છે. આ સમજને કેળવીને ધવલ આધ્યાત્મનાં રસ્તે ચઢતો ગયો ત્યારથી વેદનાઓની અનુભુતિઓનો ભાર ઘટતો ગયો. પણ એક પ્રશ્ન નો જવાબ તેને કદી ના મળ્યો. તે જ આ રોગનો ભોગ કેમ બન્યો?તેનો

શું ગુનો હતો? ડો. પરાશર પણ આ પ્રશ્નનો જવાબ શોધી રહ્યા હતા. કર્મ અને ભવાંતરની વાતો તે સાંભળતા પણ સ્વીકારતા નહોંતા. ધવલની શાંત આંખો પણ આવી જ દલિલો કરતી પણ ક્યાંય કોઇ

પાસે જવાબ નહોંતો.

આ બાજુ પીડાથી વ્યથિત ધવલ કોણ જાણે શું ય સમજ્યો કે પપ્પા અને મમ્મીને ખબર છે કે મારો ઇલાજ શું છે પણ તેઓ કશું જ કરતા નથી. તેથી તે દિવસે દાદાને પુછ્યું કે મારા માવતર કે ડોક્ટર કેમ મારો સફળતા

પૂર્વક ઇલાજ નથી કરાવતા. ? મારો આ માથાનો દુખાવો મારાથી સહન નથી થતો. ટીના કકળી ઉઠી.

“બેટા અમારાથી થાય તે બધું કરીયે છે પણ તું દર્દ એવું લઈને બેઠો છે કે તેની દવા હજી શોધાઈ નથી. ”

જ્યારે તેને સારું લાગતુ હતું ત્યારે ગુગલ ઉપર તે ફંફોસતો અને એક દિવસે તેની શોધ એક શબ્દ ઉપર પુરી થઈ

Grade I brain

tumors may be cured if they are completely removed by surgery.

Grade II — The tumor cells grow and spread more slowly than grade III and IV tumor cells. They

may spread into nearby tissue and may recur (come back). …

Grade IV tumors

usually can not be cured.

તે પપ્પા મમ્મીની ચુપકીદી સમજી ગયો હતો. તેનું કેંસર તબક્કા ૪ ઉપર હતું. તેની જિજીવિષા ખતમ કરવા છેલ્લુ વાક્ય પુરતું હતું. તે સમજી ગયો હતો હવે તેનાં અંત સમયની રાહ જોવાતી હતી. તે એવા કુવામાં પડી ચુક્યો હતો જ્યાંથી ફરી ક્યારે બહાર તે આવવાનો નહોંતો. તેને પપ્પા મમ્મીની પીડા સમજાતી હતી અને તેથી ધરાને કહ્યું

“બહેન હું હવે નહી બચું બેન. તું પપ્પા અને મમ્મીની બહું સેવા કરજે. ”

તે ક્યારેક આ સજા સામે ઉદ્દંડ બની જતો. તેને સારવાર આપતા ડોક્ટર, તેના માવતર અને તેના પ્રભુ કોઇ કશું તેને કહેતા નહીં . તે પોતાની જાતને ગુનેગાર માનતો નહોંતો પણ સમજી શકતો હતો અને મુક ફરિયાદ

કરતો હતો. જેમ જેમ તે ગાંઠ વધતી ચાલી તેમ ધવલનાં દેહ ગમનની તારીખ નજદીક આવતી જતી હતી. ધવલને હવે મગજનાં અન્ય કોષો પર પણ દબાણ વધતું જતું હતું અને તે વારં વાર ભાન ગુમાવતો જતો

હતોં. મીતા માસી અને રાજુ મામા મુંબઈ પહોંચી ગયા હતા. આઇ સી યુમાં ધવલ ના છેલ્લા શ્વાસો ગણાતા હતા ત્યારે ધવલે સૌને છેલ્લા પ્રણામ કર્યા ત્યારે દાદા બોલ્યા બેટા “અમને તારી સેવાની તક તો ભલે આપી પણ તારો બીજો જન્મ પણ અમારે ત્યાં થાય તેવી ભગવાન ને ભલામણ કરજે. ”

સોળ વરસનો ધવલ “ભલે” કહેતો અને સૌને પગે લાગતા કહેતો “મારા પ્રભુની માયા છે. આપના સૌનાં આશિર્વાદો છે તેથી તેમ જ થશે” પણ તેની મૌન ફરિયાદ ‘મને જ કેમ આ રોગ લાગ્યો?’ અનુત્તર જ રહી.

મોટી ધારા અને મમ્મી સદા ખીજવાતા અને કહેતા. એમને “મારા પ્રભુ” ના કહે. તેમના આશિર્વાદ નથી આ શ્રાપ છે તેમણે એવી સજા આપી કે જેનો ઉપાય જ ના હોય. જે તને અમારાથી દુર લઈ જાય છે” . કકલતા મને ધારા પોતાનાં મનમાં કહેતી’ પ્રભુ તો વિપદાથી તેના ભક્તોને બહાર કાઢતો હો્ય છે જ્યારે આ ભગવાન કેવો જે આપદા આપીને સજા કરે? હું નથી માનતી આ ભગવાન કે તેમના આશિર્વાદ હોય. આતો યમદૂત છે જે મારાં નાના ભાઇને ભોળવીને લઈ જાય છે.

અંતે એ દિવસ આવી ગયો જ્યારે ધવલની વેદનાઓ શમી ગઈ. તેના શ્વાસો થંભી ગયા. માથામાંની ગાંઠ ફાટી ગઈ. ગ્લુકોઝ ચઢાવેલા બાટલા ઉતરી ગયા અને લોહી ચઢાવવાનું બંધ થઈ ગયું. ધવલ ભીંતે લટકાવેલ છબી બની ગયો. તેના નિઃસ્ચેતન દેહને અને છબીમાંના ફોટાને ગુલાબનાં હાર ચઢવા લાગ્યા. ટીના અને પરાશર ત્યારે ખુલ્લાં મને ખુબ રડ્યાં. ખરેખર તો ધવલ સાથે સાથે તેઓએ પણ વેઠી હતી આ કેંસરની પરોક્ષ સજા.

તેની અંત્યેષ્ઠી કરવા ચાણોદ ગયા ત્યારે પરાશર ખુબ જ વ્યથિત હતો. ત્યાં પૂજા કરતા મહારાજની એક વાત તેને જચી ગઈ. તેઓ સહજ રીતે કહી રહ્યા હતા કે આત્માનું તમારે ત્યાં આવવું જેટલું સહજ હોયછે તેટલુંજ સહજ તેમને વિદાય આપવાનું હોતું નથી. પણ જો તેટલાજ સહજ જો થઈ શકો તો તે કર્મ યોગની અપૂર્વ ભક્તિ કહી શકાય. તે આત્મા આવે છે તો તેનો સ્વિકાર અને જાય છે તો આશક્તિ રહીત તેને વિદાય આપવી રહી. કર્મ રાજાને આધિન જેટલો સમય તે આત્માને તમારી સાથે ગાળવાનો હતો તે ગાળીને તેમની નિ્ધારિત ગતિએ જ્યાં જવાનું છે ત્યાં જવા દો. તમે રોશો કે કકલશો તો પણ તેઓને તો જવાનું જ હોય છે . તે જાય જ છે. તમારે તો તેમના બાકી રહેલા કાર્યો પુરા કરવાનાં હોય છે તે કરો અને કર્મ ગતિને તેમનું કાર્ય કરવા દો. ટીના અને પરાશર બંને

આ વાત સાંભળતા હતા તેઓએ સંપૂર્ણ સહમતિમાં પૂજારીનો આભાર માની ધવલની શેષ વિસર્જન કરી અને મનો મન નિર્ણય કર્યો ધવલને સંગીત ક્ષેત્રે આગળ ધપાવવો હતો તે ક્ષેત્રે તેના નામને આગળ વધારીશું.

પરાશરને શેષ વિસર્જન સમયે નર્મદાનીર માં ધવલ દેખાયો. જાણે એમ કહેતો હતો પપ્પા મારા દરેક પ્રશ્નોનું સમાધાન થઈ ગયું મેં પ્રભુ પિતાને પુછ્યું કે તમે મને કયા ગુના ની સજા આપી હતી? પ્રભુની વાંસળી વાગી રહી હતી અને અતિ વહાલથી મને છાતી સરસો ચાંપ્યો ત્યારે મારા સર્વ પ્રશ્નો શમી ગયા હતા.

પરાશર નર્મદાનાં નીરમાં ધવલને પ્રભુમાં વિલિન થતો જોઇ રહ્યો,

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED